પ્રકરણ-3: મુંજવણ (અભય)
દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
પ્રકરણ-3 : એકાંત (મુંજવણ)
પ્રકરણ-3: એકાંત (મુંજવણ) 23-04-2018.
મારા બધાં બ્લોગ વાંચવા -સાચો
આપના અભિપ્રાય માટે અહિયાં ક્લિક કરો.
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.
હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
પ્રકરણ-3 : એકાંત (મુંજવણ)
પ્રકરણ-3: એકાંત (મુંજવણ) 23-04-2018.
મારા બધાં બ્લોગ વાંચવા -સાચો
આપના અભિપ્રાય માટે અહિયાં ક્લિક કરો.
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.
વરુણ વિક્રમ સાથે જયુના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળતા સાથે થોડે દૂર ઉભેલી પોલીસ વેન માં બંને બેસી ગયા.વેન થોડે દૂર પહોંચી અને સામે અમુક લોકો ઉભેલા જોઈને ડ્રાઇવરે વિક્રમ અને વરુણને ઝુકી જવાનું કહ્યું બંને સીટ નીચે ઝુકી ગયા. વેન ઉભેલા લોકો ની વચ્ચે થી નીકળીને પોલીસ સ્ટેશન પહોંચી. વેન ના ડ્રાઈવરે નીચે ઉતરી ચારે બાજુ નજર ફેરવી જોયું અને ઇશારાથી બંને ને ઉતરવાનું કહ્યું. બંને ઉતરીને સીધા પોલીસ સ્ટેશનમાં ગયા જ્યાં વરુણના માતા-પિતા ઇન્સ્પેક્ટરના ઓફિસમાં બેઠા હતાં.
વરુણ તેની માતા ને જોઈને સીધો તેના ગળે વળગી ને રડવા લાગ્યો અને તેના પિતાએ વરુણ ના માથા પાર હાથ ફેરવતા કહ્યું “તું કેમ રડે છો ? તે જે કર્યું તે મને અને તારી માતા ને ખબર છે. કોઈનું ભલું કરવા માટે શસ્ત્ર ઉગામવું એ શાસ્ત્રોમાં લખ્યું છે. તે તારા પાર મને ગર્વ છે.” વરુણ ના પિતાની વાત સાંભળતાં પોલીસ ઇન્સ્પેક્ટરે પણ તેમાં સુર પુરાવતા કહ્યું “વરુણ આજે તે જે કર્યું તે દેશનો દરેક નાગરીક કરે તો દેશના બધા ગુનેગારો જેલમાં પહોંચી જાય અને સજ્જનો શાંતિથી રહી શકે. હવે મને તારી જરૂર કોર્ટ સુધી છે તું કોર્ટમાં આજે જે થયું તે કહીશ તો તે બધા જેલમાં હશે.”
વરુણે આશ્ચર્યથી પૂછ્યું “સાહેબ આપ અને મારા પિતાજી કાઈ વાત કરો છો મને કાંઈ નથી સમજાતું ? અને આ વિક્રમના નામ સિવાય તેના વિશે પણ હું કશું જાણતો નથી. જુઓ સાહેબ આજે સવારે હું મારા મિત્ર જયું સાથે સાઇકલ પર પરીક્ષા આપવા જતો હતો, રસ્તામાં એક બે જણા આ વિક્રમને મારતા હતાં, મારી સાઇકલ ની ચેન તૂટી ગઈ અને મેં એ ચેન હાથમાં વીંટાળી અને ઘર તરફ જતો હતો ત્યારે આ ભાઈને વધુ પડતું લોહી નીકળતું હતું મેં મારા ફાટેલા પેન્ટ નો એક લિરો તેને બાંધી દીધો અને એક રિક્ષામાં તેને હોસ્પિટલ માટે રવાના કારી દીધા, પાછળ ફરીને જોયું તો આઠ-દાસ લોકો મને ઘેરીને મારવા ઉભા હતા. મેં મારો જીવ બચાવવા અને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા અહીંયા પોલીસ સ્ટેશન ની મદદ લીધી. આ ઇન્સ્પેક્ટર સાહેબ મને મુકવા આવ્યા. રસ્તામાં આ બધી વાત મેં ઇન્સ્પેક્ટર સાહેબ ને કરી તેઓએ કહ્યું હતું કે ઘરે ન જતો અને મિત્રો થી દૂર રહેજે માટે હું ટેકરી વાળા મહાદેવે જતો રહ્યો અને ત્યાંથી જયું સાથે તેના ઘરે ગયો. વિક્રમ ત્યાં આવ્યો અને તેની સાથે હું અહીં આવ્યો, મેં શુ કામ કર્યું તે મને ખબર નથી પરંતુ એ જરૂર ખબર છે કે આવતી કાલે મારી પરીક્ષા છે અને હું આ મગજમારી ને કારણે પરીક્ષા નહીં આપી શકું મારા પ્રિય મિત્ર જયુને પણ નહીં મળી શકું.”
વરુણે વાત પૂરી કરી પરંતુ તેના ચેહરા પર ઘભરાહટ સ્પષ્ટ દેખાતી હતી, વરુણ ના પિતા વરુણ શુ કહેવા માંગતો હતો તે સમજી ગયા હતાં, ઇન્સ્પેકટર ને પણ વરુણની અસ્પષ્ટ ના સમજાઈ ગઈ હતી. અત્યાર સુધી ચૂપ ઉભેલો વિક્રમ બોલ્યો “સાહેબ વરુણ સાચું કહે છે, ઝગડો મારો અને હરિયા તોપચી વચ્ચે હતો, હરિયાએ મને 200 રૂપિયા ઉધાર આપ્યા હતાં અને મેં તે કાલી ગઠિયા ને આપ્યા પરંતુ કાલીએ મારી પાસે વધુ પૈસાની માંગણી કરતાં મેં તેને ના પાડી અને તેણે મને મારવાનું શરૂ કર્યું. મને બચાવવા માટે વરુણે કોઈપણ કામ નથી કર્યું એ તો માત્ર મને રિક્ષામાં બેસાડીને પરીક્ષા માટે જવાનો હતો.”
ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બોલ્યા “તમે લોકો જો તેના વિરુદ્ધ સાચું બયાન નહીં આપો તો તે બચી જશે અને ભવિષ્યમાં બીજા કોઈને પણ નુકશાન પહોંચાડશે. રહી વાત પરીક્ષાની તો વરુણ પરીક્ષા આપી નહીં શકે તેવા ડર થી ખોટું બોલે છે એ હું જાણું છું.”
ઇન્સ્પેક્ટર ની વાત વચ્ચેથી કાપતાં બોલ્યા “જ્યારે કોઈના સદગુણો તેના દુર્ગુણો કરતાં વધુ હોય, ડર જ્યારે તેના થી ડરવા લાગે ત્યારે તેનું અંતિમ પગલું અભય હોય, મારો દિકરો ક્યારેય ખોટું ન બોલે પરંતું સાહેબ અધકચરું સાચું એ ખોટું જ કહેવાય તે ઘભરાહટ ના કારણે પણ ખોટું બોલી શકે. આજે મને એમ લાગે છે કે મેં એક સાવજ ના રૂપમાં બકરાને જન્મ આપ્યો હતો, વરુણ માત્ર આટલી તકલીફ થી ડરી ગયો, જ્યારે મેં તેને જન્મ આપ્યો ત્યારે કદાચ મારા દૂધને બદલે બકરીનું દૂધ પીવડાવ્યું હતું માટે મારા ઘરે આવો ડરપોક બકરો પાક્યો. એના જન્મ બાદ માતાજી ના ભક્તો જેને આપ લોકો છકકા કહો છો તે પણ આ નપુંસક ને ઓળખી ન શક્યા, આવું સાહસ ભર્યું કામ આનાથી નહીં થાય.
માતાના આવા કપરા વચનો સાંભળી વરુણની આંખો માંથી આંસુઓની ધારા છૂટી પોતાને પરાક્રમી સમજવા વાળો વરુણ આજે પરાક્રમ કર્યું છતાં પણ કિનકર્તવ્યવિમૂઢ (કિંક+કર્તવ્ય+વિમૂઢ = કશું બોલી ચાલી ન શકે તેવો) થઈ ગયો. અકળાઈને ભય ના આંસુઓને તેને પોતાની અંદરની આગનાં ઉછળતા લાવા ને રૌદ્ર રૂપે શરીર થી અલગ કરતાં ઉંચા અવાજે સિંહ ગર્જના કરતાં બોલ્યો. “માતા તારા પેટે કાયર ન પાકે હું વરુણ પ્રતિજ્ઞા કરું છું કે મારા જીવનમાં હવે કંઈપણ ઘટના ઘટે તેનો જવાબદાર હું પોતે છું, મારી માતાએ સાવજ પેદા કર્યો તો હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી સાવજ ની જેમ જીવીશ અને કોઈપણ સ્થિતિ માં હું સત્યના પક્ષમાં રહીશ.
ઇન્સ્પેકટર સાહેબ એક વિનંતી છે આપને આપ જ્યાં કહેશો જ્યારે કહેશો હું કોર્ટમાં આવીશ માત્ર આપ મારી માતા અને પિતાને રક્ષણ આપજો અને મારી પરીક્ષા પુરી થઈ જવા દેજો.”
----XXX----
અહીં બીજી તરફ જયુ વરુણ અને વિક્રમના ગયા બાદ વરુણ ની ચિંતા કરતો હતો અને તેના માતા-પિતા નું આગમન થયું. વરુણ સાથે ઘટેલી ઘટના જયુએ તેના પિતા ને કહી તેના પિતા બોલ્યા “બેટા જો કોઈ વ્યક્તિ બીજાના સારા માટે પોતાને દાવ પાર લગાવે તો દુનિયા તેને મૂર્ખ સમજે છે પરંતુ આવા લોકો પૂજનીય છે, મને પણ ગર્વ છે કે મારા દીકરાનો દોસ્ત વરુણ છે, બેટા ગમેતે થાય પરંતુ આવા મિત્રને ક્યારેય દૂર ન થવા દેતો.
જયુના પિતાની વાત સાંભળી જયું એક સંસ્કૃત શ્લોક બબડયો
अश्वं नैव गजं नैव, व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ પર ઘાત કરે.
જયુના મતે પેલા ગુંડાઓ સામે જો વરુણ સિંહ બની ને નહીં રહે તો તેની બલી ચડી જશે તેવો હતો. તેને ક્યાં ખબર હતી કે વરુણ તો પોતાને સિંહ સાબિત કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે.
----XXX----
સળગતી આગને હવે હવા મળી હતી, વહેતી હવા હવે પવન બનવા તૈયાર હતી,એકાંત હવે અભય હતો, આજ બંને મિત્રોના ભવિષ્યનો વળાંક હતો,
જયુને અટકાવતા વરુણ બોલ્યો “ તારા શ્લોક થી કંટાળી ગયો છું હવે તું મારા શ્લોક સાંભળ.”
वनेऽपि सिंहा मृगमांसभक्ष्या बुभुक्षिता नैव तृणं चरन्ति |
एवं कुलीना व्यसनाभिभूता न नीतिमार्गं परिलङ्घयन्ति ||
અર્થ: વનમાં સિંહ હરણનો શિકાર કરે છે, ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ ઘાસ ખાતો નથી તેવીજ રીતે કુળવાન વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીઓ માં પણ નીતિનો માર્ગ ઓળંગતા નથી.
કાલી ગઠિયા વિરુદ્ધ વરુણ નો પ્રહાર કેવો હશે?
શુ બીજા માટે લડાતું યુદ્ધ વ્યક્તિગત બની જશે?
વધુ આવતા અંકે...
વાંચતા રહો ૧૪ વર્ષ અજ્ઞાતવાસ…
થોડા સમય માં ગુજરાતી સાથે હિંદી, મરાઠી અને અંગ્રેજી માં પણ online ઉપલબ્ધ થશે...
-સાચો
૩૦-૦૪-૨૦૧૮